Monday, 1 June 2015

નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારી,
સમર્પણ કે બુદ્ધીની જરૂર પડતી નથી. 
રવિશંકર મહારાજ 


યુવાન તું નાટક સિનેમાનો શોખીન છે,એ મારી ફરિયાદ નથી,
પરંતુ
તારા જીવન ઉપરથી નાટકો તૈયાર થાય એવું જીવન તું જીવ્યો નથી એનું મને દુઃખ છે. 
- પ.પુ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે 


એક વર્ષના સુખ ની યોજના કરતા હો તો અનાજ વાવો.
દસ વર્ષ ના સુખ ની યોજના કરતા હો તો આંબો રોપો.
જીવનભરના સુખ ની યોજના કરતા હો તો શિક્ષણ મેળવો.

ફૂલો ને ખીલવા દો,મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે.
ચારિત્રશીલ બનો.વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.


બગીચાના સમાચાર પૂછવા હોઈ તો બુલબુલ ને પુછજો,
પણ કાગડા ને ક્યારેય પૂછશો નહિ.
કારણ બુલબુલ ની નજર સારા પાકેલા ફળો તરફ હશે જયારે,
કાગડાની નજર એ ફળો ના સડેલા ભાગ પર હશે 
જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ.......


જીવન માં વિચારવા જેવું ......


"બરફ" અને "તક" એક સમાન છે.
જેમ બરફ સમય જતા "પીગળી" જાય છે.

તેમ હાથ મા આવેલી તક પણ 
વખત જતા "ઓસરી" જાય છે.